લેખાનુભુતિ

કર્મના સિદ્ધાંત

કર્મના સિદ્ધાંત જીવનના દરેક ડગલા પર આપનો વિચાર, આપના વ્યવહાર, આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે. નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપના જીવનની સૌથી મોટી સફળતા છે. દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી. આપણું કર્મ ઉપરવાળો જુએ છે, વસિયત નહિ તમે ગમે તેટલા શતરંજના મોટા ખિલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલી કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે. પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે. અને સંબંધ સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે. જીવનમાં સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છૂટી ગયા પછી કોઈ કોઈનું રાહ જોતું નથી. જે જોઈએ તે મેળવીને જપવું એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે. ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું આપે છે અને નથી આપતો, ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે. અને પણ જ્યારે રાહ જોવડાવે છે. તે સૌથી ઉત્તમ ફળ આપે છે. એટલે કે તમે સારા કર્મ કરો તો સારું ફળ મળે છે. એટલે કે તમારી નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય ખરાબ નહીં થાય. એટલે કે આપણું જીવન બહુ જ સારું હોય છે. તમારા આજીવનને તમે સુંદર રાખી શકો છો. તમારું મન એવું રાખો કે કોઈને ખોટું ના લાગે. એક સુવિચાર છે પ્રેમથી ભરેલી આંખો શ્રદ્ધાથી નમેલું માથું અને મદદ કરતા હાથ એ ભગવાનને ખૂબ જ પ્રિય છે.

Writer : Sapana Joshi || Teacher

Related Posts