ધ્યાનયોગ ::આ અગાઉના લેખમાં આપણે સમાજની ઉચ્ચતા, સમાધિના આનંદ વિશે જોયું; આપણે એ પણ જોયું કે જ્યાં સુધી આ ભૌતિક શરીર જીવિત રહે છે ત્યાં સુધી આહાર, નિંદ્રા, સ્વરક્ષણ જેવી શારીરિક જરૂરિયાતો પણ મનુષ્યે પરિપૂર્ણ કરવી પડે છે. જરૂરિયાત પૂરતી તે બધી જરૂરિયાતો પૂર્ણ કરી વ્યક્તિ શ્રદ્ધા અને નિશ્ચયપૂર્વક
ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ સુંદર છે, મહાન છે અને અદ્વિતીય છે એ જ ગીતામાં છે. અને એ જ રાધાકૃષ્ણનમાં પણ છે. રાધાકૃષ્ણન્ એની જ એક સજીવ પ્રતિભા છે.’’ ગાંધીજી. ઉપરોક્ત એક જ સુવાક્યમાં મહાત્માજીએ સંસ્કૃતિના પ્રહરી ડૉ. રાધાકૃષ્ણનનું શ્રેષ્ઠ મૂલ્યાંકન કર્યું છે. તેઓશ્રીએ આજીવન અધ્યાપક બનીને શિક્ષકત્વ દિપાવીને શિક્ષણના વ્યવસાયને વિશિષ્ટ ગરિમા, ગૌરવ અને ઊંચાઈ […]
ધ્યાનયોગ : ગયા લેખમાં આપણે જોયું કે જે યોગ કરે તે યોગી. પરંતુ આજકાલ આપણે જે ટીવી પર કે સોશિયલ મીડિયા પર યોગના વિડિયો જોઈએ છીએ… તો તે બધા શું યોગી છે? ના મિત્રો, તેઓ તો ફક્ત અંગ કસરતો જ કરે છે. પણ હા, કોઈ કોઈ અંશતઃ યોગી બની શકે છે. અને મારા મતે એકદમ […]
ગયા લેખમાં આપણે મનમાં સતત ચાલી રહેલા વિચારોને રોકી કેવી રીતે શકાય તે જોયું. થોડી વાર પણ આપણે જો આંખો બંધ કરીને બેસીએ તો તરત જ કેટલાય વિચારોનું ઘોડાપૂર આપણા મનમાં ઉઠે. કેટલાય કિલોમીટરની સફર માનસિક રીતે આપણે કરી દઈએ. કેટલાય લોકો સાથે માનસિક રીતે વાતો કરી લઈએ. અને ક્યારેક તો ન ધારેલું વિચારી લઈએ. […]
સ્વામીશ્રી હરિદાસ મહારાજ જે મહાન સંત હતા જેમના સંગીતથી તેમણે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કર્યા હતા. તેઓ લલિતાસખીના અવતાર હતા. એક વખત બાળક હરિદાસ તેમના પિતાજી આસુદાસ સાથે ભગવાન શિવના મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે તેઓ શિવલિંગ પર જળ ચડાવતા હતા ત્યારે અચાનક ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું હે આસુદાસ આ તું શું કરે છે […]
આજકાલ સોશિયલ મીડિયામાં આપણે કોઈને મદદ કરતા ફોટા કે વિડિયો કે પછી કોઈ વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમમાં ભોજન કરાવતા ફોટા કે વિડીયો કે પછી શિયાળામાં કોઈને ગરમ કપડાં કે ધાબળા આપતા વિડીયો, કોઈ ગરીબોને અનાજ-કરિયાણાની કીટ આપતા મેસેજ કે આવા તો અનેક પ્રકારના ફોટા વિડિયો જોઈએ છીએ. સારું છે. એના દ્વારા બીજા લોકોને પણ આવી પ્રવૃત્તિ […]
મનુષ્ય બ્રહ્મમાં નિર્વાણ અથવા મુક્તિ ક્યારે પામે છે? તેના જવાબમાં શ્રીકૃષ્ણ કહે છે કે જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓ થી પર થયેલા છે, જેમના મન આત્મ-સાક્ષાત્કારમાં લીન છે, જેઓ ફક્ત જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વ પાપથી રહિત છે તેઓ બ્રહ્મમાં નિર્વાણ પામે છે. આ ઉપરાંત, જેઓ ક્રોધ તથા […]
મુંતશિર નો અર્થ થાય છે વિખરાયેલું પણ મનોજ મુંતશિરનો અર્થ થાય છે , સ્વષ્ટ જોવા અને પૂરી જિદ્દ સાથે એને પૂરા કરવા. ૧૯૯૯ થી ગીતકાર બનવા મુંબઈ આવેલો આ યુવાન જ્યારે ૨૦૧૯ માં કેશરી ફિલ્મ માટે તેરી મિટ્ટી ગીત લખ્યું અને ભારતીયોના દિલમાં છવાઈ ગયો. તેમની જીવન કહાની પરથી આપણને એક વાત ચોક્કસ સમજાય કે […]
જે કર્મ કૃષ્ણભાવનાયુક્ત રીતે આપણે કરતાં હોઈએ તે કર્મ ફળ આપણને બાંધતું નથી. તેવું આપણે આ અગાઉના લેખમાં જોયું. દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય સાંભળતો,જોતો, સ્પર્શ કરતો, સૂંઘતો,ખાતો, ચાલતો, સૂતો તથા શ્વાસ લેતો હોવા છતાં, પોતાના અંતરમાં હંમેશાં તે જાણતો હોય છે કે હકીકતમાં તે પોતે કશું જ કરતો નથી. તે જાણતો હોય છે કે આ […]
કર્મયોગ : આપણને એટલે કે મનુષ્યને સમગ્ર જીવન દરમિયાન સારા કે નરસા ઘણા અનુભવો થતા હોય છે. આપણાથી ક્યારેક જાણે-અજાણે કેટલીય ભૂલો થઈ જતી હોય છે. અને જ્યારે એ ભૂલો સમજાય ત્યારે એને સુધારવાનો સમય પસાર થઈ ગયો હોય છે. અને મનમાં પસ્તાવો થતો હોય છે. મનોમન આપણે ખૂબ દુઃખી પણ થતા હોઈએ છીએ. આવા […]
























