Home Archive by category લેખાનુભુતિ (Page 8)
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:૧૭

શાંતિ : :  આપણે જ્યારે કોઈને ફોન કરીએ છીએ ત્યારે પૂછીએ છીએ કે “કેમ છો?” તો સામેથી જવાબ આવશે “બસ, જો શાંતિ છે”. કયારેક આપણે ઓટલે બેઠા હોઈએ ને સામે બાળકો રમતા રમતા ઘોંઘાટ કરવા લાગે ત્યારે એનાથી અકળાઈને આપણે એમને છણકો કરી દેતાં હોઈએ છીએ. અને બોલીએ છીએ કે “દૂર જઈને
લેખાનુભુતિ સફળ સાહસિક

ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યૂઝ એન્કર પદ્મિની પ્રકાશની સંઘર્ષમય જીવની

પદ્મિનીનો જન્મ તામિલનાડુના કોઇમ્બતુરમાં રૂઢિચુસ્ત તમિલ પરિવારમાં થયો હતો. પદ્મિનીના પરિવારને જ્યારે જાણ થઈકે તે સ્ત્રીના લક્ષણ ધરાવે છે અને તે રીતે જ જીવન પસાર કરવા માંગે છે ત્યારે તેમણે તેને 13 વર્ષની વયે જ ઘરની બહાર કાઢી મૂકી હતી. તેમનું બાળપણ ખૂબ જ મુશ્કેલીમાં પસાર થયું હતું. લોકો પત્થરો મારતા અને વાળ ખેચી હેરાન […]
લેખાનુભુતિ

હજારો બાળકોની માતા સિંધુતાઈ સપકાલ

સિંધુતાઈ સપકાલ નો જન્મ 14 નવેમ્બર 1948 ના રોજ વર્ધા જિલ્લાના પિંપરીમેઘે ગામમાં થયો હતો. તેમના પિતા અભિમન્યુ શેઠ એક બારીગ ગૌપાલક હતા. ઘોર ગરીબી, કૌટુંબિક જવાબદારી અને નાની ઉમ્મરે લગ્નને કારણે તેઓ ચાર ધોરણ સુધીજ અભ્યાસ કરી શક્યા હતા.સિંધુતાઈ ના લગ્ન 12 વર્ષની ઉમરમાં તમનથી 20 વર્ષ મોટા શ્રીહરિ સપકાલ સાથે થયા હતા. તેઓ […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:૧૬

ઈન્દ્રિય સંયમ –  ગીતા વાંચન દ્વારા આપણે જિંદગી જીવવાની જડીબુટ્ટી સમાન જ્ઞાન મેળવી રહ્યાં છીએ.ગયા લેખમાં સ્થિર મનવાળા મનુષ્યનાં લક્ષણો જોયાં. તેમાં વારંવાર ઈન્દ્રિયોને નિયંત્રણમાં રાખવાની વાત આવે છે. વાંચતા વાંચતા મને પ્રશ્ન થાય છે કે જો ઈન્દ્રિયોને નિયંત્રણમાં જ રાખવાની હોય તો ભગવાને ઈન્દ્રિયો બનાવી જ કેમ? ભગવાને ઈન્દ્રિયોને સ્થિર મોડ પર જ રાખી […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક: ૧૫

સ્થિતપ્રજ્ઞ મનુષ્યનાં લક્ષણો : અર્જુનને શ્રી કૃષ્ણે યુદ્ધના મેદાનમાં જિંદગીનું સત્ય સમજાવ્યું. સામે પક્ષે રહેલા ભીષ્મ-દ્રોણને હણવા માટેઅને દુઃખ ન કરવા સમજાવ્યું. તે સમજાવતાં સમજાવતાં કૃષ્ણે આત્મા- શરીર- કર્મ- કર્તવ્ય- યોગ- સમાધિ વગેરેનું પણ જ્ઞાન પણ આપ્યું. જે સ્થિર મન કરવા માટે ખૂબ જરૂરી હતું. આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ અર્જુનનું મન થોડું સ્થિર થયેલું […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:૧૪

સમાધિનો અર્થઅત્યાર સુધી આપણે આત્મા, શરીર અને કર્મ વિશે જાણ્યું. હજી પણ કર્મ-કર્તવ્ય વિશે વધુ જાણીએ તે પહેલાં “સમાધિ” શબ્દને જાણવો ખૂબ જરૂરી છે. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥ આ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે માણસે કર્મ કરી ફળની આશા ન રાખવી. આપણે સામાન્ય મનુષ્ય આ શ્લોકનો સંપૂર્ણપણે અમલ ન કરી શકીએ. […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:૧૩

ગયા લેખમાં આપણે આત્માનું સ્વરૂપ અને આત્મા- શરીરનો સંબંધ જોયો. ગીતા વાંચનમાં જીવનના સારરૂપ કેટલાક ઉપદેશો છે. જે આપણને જિંદગીના કોઈપણ તબક્કે સનાતન સત્ય લાગે. અને જિંદગીની કોઈપણ સમસ્યામાં આપણા મનને તટસ્થ જાળવી રાખે. જેમ પ્રવાહી ધાતુ ‘ પારો ‘ જેને અંગ્રેજીમાં ‘મરક્યુરી’ કહેવામાં આવે છે. તેના અલગ-અલગ ભાગોને નજીક લાવતાં તે એક થઈ જાય […]
લેખાનુભુતિ

ભગવદગીતા અર્ક- ૧૨

શરીર વગર આત્માને ઓળખવો કેમ?આજના લેખમાં આપણે આ પ્રશ્નનો જવાબ જાણીશું:આપણે આના પહેલાંના લેખમાં જોયું કે ભૌતિક શરીરનો નાશ થાય છે, આત્માનો નહીં. કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો.. જ્યારે દેહધારી જીવાત્માને પ્રાણ ઘાતક શસ્ત્રોથી જખમી કરવામાં આવે છે. ત્યારે ફક્ત શરીર જ જખમી થાય છે. જીવ કે આત્મા નહીં.અર્જુનની યુદ્ધ માટેની પીછેહઠમાં […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:૧૧

કૃષ્ણના ઘણું સમજાવ્યા છતાં અર્જુને કહ્યું કે ‘હું યુદ્ધમાં લડીશ નહીં’. ત્યારે કૃષ્ણે એને હજી વધું સમજાવતાં કહ્યું કે’ તું વિદ્વાન છે. વિદ્વતા ભરી વાતો કરે છે. પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે’… જે વિદ્વાન હોય તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. આપણે ભગવદ્ ગીતાના લેખમાં […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક-૧૦

અધ્યાય – ૨ સાચા ગુરુ કોને કહેવાય? ક્ષત્રિયને જ્યારે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી યુદ્ધ અથવા દ્યુત રમવા આમંત્રણ મળે છે ત્યારે તેની પાસેથી નન્નો ભણવાની આશા રખાતી નથી. તે ક્ષત્રિય ધર્મ છે. કર્તવ્યની આવી અનિવાર્યતા હેઠળ અર્જુન લડવાનો ઈનકાર કરી શકતો નથી, કારણકે દુર્યોધનના પક્ષે તેને પડકાર ફેંકાયો હતો. પરંતુ અર્જુન યુદ્ધનાં અનિષ્ટ પરિણામોને જોઈ શકતો […]
Load More